Placeholder canvas

વાંકાનેરમાં યુવાનની હત્યાનો ત્રીજો આરોપી ચોટીલા-થાન ચોકડી પાસેથી ઝડપાયો

વાંકાનેર શહેરમાં પાડોશીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે વાંકાનેર પોલીસ ટીમે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

ગત તા. ૧૧ સપ્ટેમ્બરના વાંકાનેરની અમરનાથ સોસાયટી નજીક હત્યાનો બનાવ બન્યો હતો, અમિત ઉર્ફે લાલો અશ્વિનભાઈ કોટેચાના પાડોશી સાથે કેટલાક ઈસમો ઝઘડો કરતા હોય ત્યારે અમિત કોટેચા નામનો યુવાન વચ્ચે પાડયો હતો જે બાબતનો ખાર રાખી આરોપી ઈનાયત ઉર્ફે ઇનીયો અયુબ, ઇમરાન ફારૂક આરબ અને સરફરાજ મકવાણા એમ ત્રણ ઇસમોએ છરીના ઘા ઝીકી યુવાનની હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં આરોપી ઇમરાન અને ઈનાયતને પોલીસે ઝડપી લીધા હતા

જે બનાવમાં એક આરોપી સરફરાજ હુશેન મકવાણા રહે આશિયાના સોસાયટી વાંકાનેર વાળો ફરાર હોય જેથી સીપીઆઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ ટીમ આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન આરોપી સરફરાજ હુશેન મકવાણા ચોટીલાથી થાનગઢ તરફ જવાનો હોવાની બાતમી મળતા ચોટીલા-થાનગઢ ચોકડી ખાતેથી ઝડપી લીધો છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો