Placeholder canvas

આગામી રવિવારે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ વાંકાનેરમાં

મેહુલ શાહ દ્રારા વાંકાનેરમાં ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલના શૈક્ષણિક સેમિનારનું આયોજન

વાંકાનેર: આગામી રવિવારે વાંકાનેરમાં ખૂબ જ જાણીતા ગુજરાતી મોટીવેશનલ સ્પીકર સંજય રાવલના સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

વાંકાનેરની જ્યોતિ વિદ્યાલય અને ડૉ. વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર ન્યુ દિલ્હીના ડાયરેકટર મેહુલ શાહ દ્રારા ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલના શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. સંજય રાવલે 1000થી વધુ સ્કૂલ કોલેજના સેમિનારમાં પાંચ લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે, અને સંજય રાવલને સાંભળ્યા છે. તેઓ હવે આગામી તારીખ 18/12/2022 ને રવિવારે વાંકાનેરમાં આવી રહ્યા છે.

આ સેમિનારમાં વિનામૂલ્યે પ્રવેશ મળશે પરંતુ પ્રવેશ માટે પાસ મેળવી લેવો જરૂરી છે. એન્ટ્રી પાસનું વિતરણ આવતીકાલે (માત્ર એક દિવસ) તારીખ 14/12/2022 ને બુધવારના રોજ સવારે 9:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી ‘જ્યોતિ વિદ્યાલય’ પંચાસર રોડ, નવાપરા, વાંકાનેર અને ‘કિડઝલેન્ડ સ્કૂલ’ જડેશ્વર રોડ,જૂની દૂધની ડેરી પાસે, વાંકાનેર. ખાતે કરવામાં આવશે એક વ્યક્તિને વધુમાં વધુ બે પાસ આપવામાં આવશે.

સેમિનાર આગામી તારીખ 18/12/2022 ને રવિવારે સાંજે ૬ વાગ્યે શરૂ થશે. સ્થળ:- ‘પટેલ વાડી’ સ્ટેશન રોડ, વાંકાનેર.

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr

સાંભળો સંજય રાવલને

આ સમાચારને શેર કરો