Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કમળાબેન અશોકભાઈ ચાવડાની વરણી

મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી જેમા જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે.

આજરોજ જિલ્લા પંચાયત મોરબીની જિલ્લા સામાજિક ન્યાય સમિતિની ચેરમેનની વરણી માટેની બેઠક મળેલ હતી. જેમાં કમળાબેન અશોકભાઈ ચાવડા, હીરાભાઈ ટમારીયા, વિઠ્ઠલભાઈ ચાવડા નારણભાઈ સોલંકી અને વિશાલભાઈ વાઘેલા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડાની સમાજીક ન્યાય સિમિતિના ચેરમેન તરીકે સર્વનુમતે વરણી કરવામાં આવેલ છે.

આ તકે જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઈ પારધી, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઇ સિહોરા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, જિલ્લા પંચાયતના સદસ્યો, પાર્ટીના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શુભકામના પાઠવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો