વાંકાનેર: ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન કોંગ્રેસના !!!
વાંકાનેર તાલુકા પંચાયતની સામજીક ન્યાય સમિતિના ચેરમેનની આજરોજ વરણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ શાસિત વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર પાયલબેન ભરતભાઈ બેડવાની સામજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની મુદત માટે સામજીક ન્યાય સમિતિના ચેરમેનનું પદ ખલી રહ્યું હતું, જ્યારે બીજી ટર્મમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં સામજીક ન્યાય સમિતિના ચેરમેન પદે કોંગ્રેસના પાયલબેન ભરતભાઈ બેડવાની બિનહરીફ વરણી થતાં દલિત સમાજ તથા કોંગ્રેસમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યુનુસભાઈ શેરસીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા તથા પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ આંબલીયા, આબીદ ગઢવારા, ફારૂકભાઈ કડીવાર, ઉસ્માનભાઈ માથકીયા, ગનીભાઇ પટેલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…