Placeholder canvas

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં સગીરાએ ગળેફાંસો ખાધો.

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરાએ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યાની ઘટના સામે આવી છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ.વ. ૧૬) નામની સગીરાએ ગઈકાલે તા ૨૪ ના રોજ પોતાના ઘરે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મણીલાલ એમ.ગામેતી ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો