Placeholder canvas

વાંકાનેર: ધર્મનગર સોસાયટીના રહીશોને મળે છે 15 દિવસે માત્ર 20 મિનિટ પાણી..!!

વાંકાનેર ટીડીઓને સોસાયટીના રહેવાસીઓ દ્વારા આવેદન પત્ર અપાયું

વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ પાસે ધર્મ ગર સોસાયટીમાં આજે છેલ્લા છ માસથી પાણી વિતરણ વ્યવસ્થિત કરવામાં આવતું નથી. એમાંય ખાસ કરીને ધર્મનગર સોસાયટીની છેલ્લી શેરીમાં તો ખુબ જ અન્યાય કરે છે. આ વિસ્તારના રહેવાસી બહેનોએ ધર્મનગર ગ્રામ પંચાયતના સરપંચને અનેક વખત રજુવાત કરેલ છે ત્યારે સરપંચએ કહેલ કે પાણી ઉપરથી ચોવીસ કલાક આવશે તો પાણી આપીશ.. જ્યારે પાણી પુરવઠા ખાતાના અધિકારીનો સંપર્ક કરતા તેવોએ જણાવેલ કે અહીંયાથી રોજ છ કલાક પાણી આપવામાં આવે છે.

આ પ્રશ્ન ગ્રામ પંચાયતનો છે. જેથી આ અંગે ધર્મ નગર સોસાયટીના રહેવાસીઓ બધા બહેનો તેમજ ધર્મ નગર ગ્રામ પંચાયતના સભ્ય કિરણબેન પંડ્યા, હિતેષભાઇ રાચ્છ , , અનિલભાઈ બારોટ , જયશ્રીબેન સેટાલિયા , તેમજ આ વિસ્તાર ના સક્રિય કાયર્કરોએ આજે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરીચાને રૂબરૂ મળી મૌખિક રજુવાત કરેલ તેમજ આવેદન પત્ર આપેલ હતું.

આ સમાચારને શેર કરો