Placeholder canvas

આજે મોરબી-માળીયા બેઠકમાં 10 ફોર્મ ઉપડ્યા અને વાંકાનેરમાં નારણભાઈ નામ નોંધાવ્યું

ટંકારામાં પહેલા દિવસે એકપણ ફોર્મ ન ઊપડ્યું

આજથી વિધાનસભાની ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી બનતા જ ઉમેદવારી પત્ર ઉપાડવાનું અને ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં આજે કુલ મળીને 11 ફોર્મ ઉપડ્યા હતા.

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરુ થતા જ મોરબી -માળીયા બેઠક માટે કુલ દસ ફોર્મ ઉપડ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા, રાજેશ પટેલ, બસપાના કિશોરભાઈ વણોલ, અપક્ષ ઉમેદવાર વિવેક મીરાણી, સિરાજ પોપટિયા, રામજીભાઈ મજેઠીયા, સાવન પાંચોટિયા, નવીનભાઈ ઘુમલીયા, મનીષકુમાર પટેલ અને કોંગ્રેસના મહેશભાઈ રાજ્યગુરૂએ ઉમેદવારી પત્ર ઉપાડીયા છે. આ ઉપરાંત વાંકાનેર બેઠક ઉપર પણ એક અપક્ષ ઉમેદવાર નારણભાઈ મનજીભાઈ અજાડીયા (આંણદપર, નવાગામ) ફોર્મ ઉપાડ્યું છે.

આજે પ્રથમ દિવસે વાંકાનેરમાં કોઈ પાર્ટીના ઉમેદવારે ફોર્મ ઉપડ્યું નથી પણ 67 વાંકાનેર-કુવાડવા બેઠક પર નારણભાઈએ સૌપ્રથમ પોતાનું નામ નોંધાવ્યું છે.

આ સમાચારને શેર કરો