Placeholder canvas

ટૂંકમાં રેડિયા પર સાંભળવા મળશે… ‘આ આકાશવાણીનું મોરબી કેન્દ્ર છે.’

મોરબી : વર્ષ 2013માં અલાયદો જિલ્લો બન્યા બાદ મોરબી જિલ્લામાં ધીમી ગતિએ વિકાસ કામો અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે મોરબી માટે આકાશવાણીનું રીલે કેન્દ્ર મંજુર થયું છે અને આકાશવાણી માટે જમીનની માંગણી પણ કલેકટર સમક્ષ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રસાર ભારતી દ્વારા મોરબી જિલ્લા માટે આકાશવાણી કેન્દ્ર મંજુર કરવામાં આવ્યું છે, હાલમાં મોરબી આકાશવાણી કેન્દ્ર માટે જમીનની માંગણી કરવામાં આવી છે, આકાશવાણી કેન્દ્રના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી માટે 5 કિલોવોટનું રીલે કેન્દ્ર મંજુર કરવામા આવ્યું છે અને શરૂઆતના તબક્કે આકાશવાણી રાજકોટ અને અમદાવાદ કેન્દ્ર સાથે મોરબીને જોડવામાં આવશે.

આ સમાચારને શેર કરો