ચોટીલા પંથકની 2 હત્યામાં પકડાયેલ 3 આરોપીઓ પાસે રીકન્ટ્રક્શન કરાવ્યું
ચોટીલા પોલીસ મથક નજીક સામાન્ય બોલાચાલીમાં સરલનાં ઘા મારવાથી થયેલ આધેડની હત્યાં તેમજ ઢોકળવા ગામના વીડી વિસ્તારમાં સાળી સાથેનાં આડા સંબંધમાં પત્ની ની નિપજાવેલ હત્યાનાં આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવેલ છે.
પ્રથમ આધેડ બાજુભાઇ સોડમીયાની હત્યાનાં આરોપી સાડમીયા રાયધન સારાભાઇ અને પ્રવિણ રણછોડ ભાઇને દિવસ 3ના રીમાન્ડ મેળવી મંગળવારનાં સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું જેમા હટાણું કરવા ચોટીલા આવેલ અને ઘટના સ્થળે પોરો ખાધો તે દરમિયાન બાજુભાઇ આવતા સમાધાન ના પૈસા બાબતે બોલાચાલી કરી સામાન્ય મારા મારી થયેલ રાયધને ઝપાઝપી ધોલ ધપાટ કરેલ પ્રવિણ હાથમાં પહેરેલ ચાંદીનું 250 ગ્રામનું કડલું (સરલ) ના 3 થી 4 ઘા માથામાં મારેલ જે જીવલેણ નિવડ્યા હતા.
બંન્ને આરોપીના બ્લડ સેમ્પલ સહિત ગુના વપરાયેલ કડું મેળવવા તપાસ ચલાવી છે. ઢોકળવા ગામની સીમમાં રાજકોટનાં દલડી ગામની પરણીતા રંજનબેન ઓળકિયા ની 45 દિવસ પહેલા નિપજાવેલ હત્યાના ગુનાની કબુલાત કરનાર તેના પતિ રાજેશ ભાદાભાઈ ઓળકિયાની વિધિવત ધરપકડ કરી ડેમોન્સ્ટ્રેશન કરાવવા લઇ જતા દલડી તેના ઘરે થી 22/5 ના છાસીયા જવા નિકળેલ અને વીડી વાળો ક્યાં રસ્તે આવ્યો તેમજ ક્યાં બાઇક મુક્યું, ક્યાં બેઠા કેમ ટૂપો દિધો અને ક્યાં લાશ ને કેમ નાખી તે દર્શાવેલ હતું. પતિ પત્ની ઔર વો જેવી બાબતે થયેલ હત્યામાં ત્રણ વર્ષ નો પુત્ર આ બનાવથી માતાનું મૃત્યુ અને પિતા જેલમાં જવા થી બંન્નેની છત્રછાયા ગુમાવી બેસેલ છે.