રાણેકપર શાળાના આચાર્યએ દિકરીની યાદમાં શાળામાં બાળકોને બેસવાની બેન્ચો અર્પણ કરી…
વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય પોતાની સેવાકીય ભાવના માટે જાણીતા છે.પોતાની દીકરી સ્વ.ધન્વી (જીયા)ની યાદમાં શાળા ના બાળકો માટે રિશેષ ના સમયે ઝાડના છાંયે બેસી શકે તે માટે સિમેન્ટની બેન્ચો મુકાવી. તેઓએ આ અગાઉ પણ તાલુકા શાળાની તમામ શાળામાં બેન્ચો મુકાવી હતી. આ તકે રાણેકપર શાળા પરિવાર તેઓનો આભાર વ્યક્ત કરે છે.