Placeholder canvas

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળામાં તુલસી પૂજન દિવસની ભાવપૂર્ણ ઉજવણી

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળા એટલે પ્રવૃત્તિઓનું ઘર. ભારતીય સંસ્કૃતિ અને ઉજાગર કરતી પરંપરા ને જાળવી રાખવા દિન વિશેષની ઉજવણી કરવામાં આવે છે. 25 ડિસેમ્બર એટલે તુલસી પૂજન દિવસ. બાળકોમાં સંસ્કાર સાથે સંસ્કૃતિનું ઘડતર થાય એ હેતુથી આજરોજ તુલસી પૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકો અને શિક્ષક મિત્રોએ હોશે હોશે ભાગ લીધો. આ કાર્યક્રમનું સંચાલન શાળાના સમાજના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કરેલ. કાર્યક્રમના અંતે તુલસી વિશે સુંદર વક્તવ્ય શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું અને “ઘર ઘર તુલસી”ના નારા સાથે સૌ છૂટા પડ્યા.

આ સમાચારને શેર કરો