ટંકારા

ટંકારા: હડમતીયાના પત્રકાર રમેશભાઈ ખાખરીયાનું અવસાન,ગુરુવારે બેસણું

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર નિડર નિષ્પક્ષ પત્રકાર રમેશ ખાખરીયાનું દુઃખદ અવસાન થયેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

હડમતિયાના સામાજિક કાર્યકર તરીકે જાણીતા અને ગરીબી તેમજ ખેડુતોના પ્રાણ પ્રશ્નો માટે લડતા રહે છે હડમતિયાની આજુબાજુના ગામ જેવા કે સજ્જન પર ઘુનડા કોઠારીયા લજાઈ ધ્રુવનગર નશીતપર જેવા અનેક ગામના પ્રાણ પ્રશ્નોને પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મિડિયાના માધ્યમ થકી સત્યની કલમ હાથમાં લઈ વણ ઉકેલ પ્રશ્નો કે બનતી ઘટનાને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના માધ્યમથી પ્રજા પ્રજાના પ્રશ્નોને વાચા આપી વણઉકેલ પ્રશ્નોને જડમુડમાંથી ઉકેલી આજુબાજુના ગામડામાં સારુ એવુ વર્ચસ્વ ધરાવતા હતા. અને હડમતિયાના યુવાનોમાં તો હોટ ફેવરીટ આર.ડી.સાહેબના નામથી યુવાનો સન્માન સાથે બોલાવે છે મોરબી જીલ્લાના પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મિડિયાના પત્રકાર જગતમાં સામાજિક કાર્યકર તેમજ વિશ્વાસું વ્યક્તિની છાપ ધરાવતા અને સત્યની રાહ પર ચાલતા રમેશ ઠાકોરના હુલામણા નામથી પ્રસિધ્ધ છે પ્રિન્ટ તેમજ મિડિયા ગ્રુપમાં બહોળું મિત્ર સર્કલ ધરાવતા આજે તેમ નું દુઃખદ અવસાન થયેલ છે.

હડમતીયાના પત્રકાર રમેશભાઈ દેવાભાઈ ખાખરીયા (ઉ. વ. 54) તે અભિષેકભાઈના પિતા, કાનજીભાઈ, મનસુખભાઈ, કરમશીભાઈ, ધરમશીભાઈ તથા રતિલાલભાઈના ભાઈનું તારીખ 19-8-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 21-8-2024 ને બુધવારે સાંજે 4 થી 6 કલાકે હડમતીયા મુકામે રાખવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો