skip to content

વાંકાનેર: વિશીપરામાં રહેતા યુવાને ઝેરી દવા પીઈને જીવન ટૂંકાવ્યું.

વાંકાનેર: વિશીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને રવિવારે રાત્રિના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પીઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ ઘટનાસ્થળે જઇને બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની મળેલી મુજબ વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા રાજસિંહ રણજીતસિંહ પઢીયાર (ઉ.વ. ૩૬) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર રવિવાર રાત્રીના પોતાના ઘરે ઝેરી દવા પીઇ લઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો