Placeholder canvas

રાજકોટ: રખડતા ઢોર પર તૂટી પડતું તંત્ર : 425 પશુ ડબ્બે પૂરાયા…

રાજકોટ : રાજકોટ શહેરમાં રખડતા ઢોરના ત્રાસ, તેના કારણે એક વૃધ્ધનું મૃત્યુ થવા અને હજુ બનતી આવી ઘટનાઓના પગલે મેયર ડો.પ્રદીપ ડવે ઢોર પકકડ ઝુંબેશ સઘન બનાવવા સૂચના આપી હતી. જેના પગલે છેલ્લા 13 દિવસમાં તંત્ર દ્વારા રસ્તા પર રખડતા અને અડચણરૂપ 425 પશુઓ પકડીને ડબ્બે મોકલવામાં આવ્યા છે. તો રાજમાર્ગો પર દબાણો વધી જતા આવા દબાણો હટાવવા ફરી ડે.કમિશ્નર સહિતની ટીમ ડ્રાઇવમાં ઉતારવમાં આવી છે. થોડા સમય પહેલા સાધુ વાસવાણી રોડ પર નિવેદિતા પાર્કમાં પશુએ એક વૃધ્ધને ઉડાવી, કચડીને મોતને ઘાટ ઉતારતા રખડતા પશુઓનો ભય ફરી વધી ગયો હતો. તાજેતરમાં ભોમેશ્વર વિસ્તારમાં ફૌજી દાદા-પૌત્રને પણ ઢોરે હડફેટે ચડાવ્યા હતા.

હવે ચૂંટણી પૂરી થતા મનપા તંત્ર એકશન મોડમાં આવ્યું છે અને જુદા જુદા વિસ્તારમાં ત્રણે શીફટમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પશુઓ પકડવાનું કામ સતત ચાલુ કરવામાં આવ્યું છે. એ.એન.સી.ડી. શાખા દ્વારા તા.5 થી 12 વોર્ડ નં.9ના ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, ટોપલેન્ડ રેસીડેન્સી, પામસીટી, રૈયા રોડ, ભીડભંજન સોસાયટી, રૈયાધાર મેઈન રોડ, રૈયા ટેલીફોન એક્સચેંજ, રવિરાજ પાર્ક, જલારામ-2, અક્ષર સ્કૂલ પાછળ, નિવિદિતા નગર, શિવમપાર્ક, ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, જનકપુરી મેઈન રોડ, ન્યુ યોગીનગર, વોર્ડ નં.11ના શાસ્ત્રીનગર, મારવાડી મેઈન રોડ, ધરમનગર, સમૃધ્ધિ સોસાયટી, રાધે શ્યામ સોસાયટી, યોગરાજનગર, ઉમાધાર રૈયાધાર તથા આજુબાજુમાંથી 51 પશુઓ ભરી લેવામાં આવ્યા હતા.

ન્યુ રાજકોટના ગાર્બેજ સ્ટેશન, યુનીવર્સીટી મેઈન રોડ, ન્યુ 150 ફૂટ મેઈન રોડ, અયોધ્યા ચોક પાછળ, જ્યોતીનગર, ઘનશ્યામનગર, શ્રધ્ધાદીપ સોસાયટી, નંદી પાર્ક, દ્વારકેશ પાર્ક, જે.કે. ચોક, મારવાડી નગર પાસે તથા આજુબાજુમાંથી 50 પશુઓ, હંસરાજનગર મેઈન રોડ, પરસાણાનગર મેઈન રોડ, ગાયકવાડી મેઈન રોડ, રેલનગર મેઈન રોડ, જંકશન પ્લોટ, ભોમેશ્વરવાડી, ભોમેશ્વર સોસાયટી, ખોડીયાર ડેરી પાસે, શેઠનગર મેઈન રોડ, મનહરપુર, પ્રયાગરાજ સ્કૂલની સામે તથા આજુબાજુમાંથી 18, શિવમ સોસાયટી મેઈન રોડ, આરટીઓ પાસે, શિવનગર મેઈન રોડ, જય જવાન જય કિશાન મેઈન રોડ, રોહીદા પરા, શિવરંજની સોસાયટી મેઈન રોડ, કુવાડવા રોડ, શ્રીરામ સોસાયટી મેઈન રોડ, મનહર સોસાયટી, શક્તિ સોસાયટી, છપ્પનીયા ક્વાર્ટર રોડ, સેટેલાઈટ ચોક, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, પેડક રોડ, શ્રીરામ નગર, નરસિંહ નગર, શિવ પાર્ક, ન્યુશક્તિ સોસાયટી, તિરૂપતી પાર્ક, ગાંધી સ્મ્રુતિ સોસાયટી, ડિ-માર્ટ તથા આજુબાજુમાંથી 48 પશુઓ પકડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બેડી ચોકડી, વેલનાથ પરા, મોરબી રોડ, જકાતનાકા, રાધામીરા સોસાયટી, ગીરીરાજ પાર્ટી પ્લોટ, હુડકો ક્વાર્ટર્સ, સોહમનગર તથા આજુબાજુમાંથી 26, સહકાર રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, વાવડી ઈન્ડસ્ટ્રીઝ ઝોન, વિશ્વકર્મા સોસાયટી, પટેલનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, ફાયર બ્રિગેડ તથા આજુબાજુમાંથી 18, ગણેશનગર મેઈન રોડ, રણુજા મંદિર પાછળ, કોઠારીયા સોલવન્ટ, સોલવન્ટ રોડ, સ્વાતી પાર્ક મેઈન રોડ, પંડિત દિન દયાળ ક્વાર્ટર્સ, શિવધારા, જડેશ્વર સોસાયટી, ઋષિપ્રસાદ સોસાયટી, ઋષિકેશ પાર્ક, માલધારી ફાટક પાસે, વિશ્વકર્મા સોસાયટી, આવાસ (શિવ રેસ્ટોરન્ટ) તથા આજુબાજુમાંથી 58, જયુબીલી શાક માર્કેટ, જાગનાથ પ્લોટ, ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, રૈયાધાર, નરસિંહનગર, મહાદેવ મંદિર પાસે, વૈશાલીનગર, બાલમુકુંદ પ્લોટ, બજરંગ વાડી સર્કલ પાસે, ગાયત્રીધામ, જામનગર મેઈન રોડ, વાકાનેર સોસાયટી, વાલ્મિકી વાડી, ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની, ભોમેશ્વર મેઈન રોડ, જંકશન મેઇન રોડ, પરસાણાનગર તથા આજુબાજુમાંથી 34, કે.ડી. ચોક, સંતકબીર રોડ, સાગર ચોક, ભગવતી પરા, પેડક રોડ, રણછોડ બાપુ આશ્રમ પાસે, રેડ રોઝ હોટલ પાસે, કૈલાશ પાર્ક, મોરબી રોડ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી 21 સહિત કુલ 425 પશુઓ પકડવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો