રાજકોટ: ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતમાં 3લોકોના મોતથી ટોળું વિફર્યુ, લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો…

રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ લોકો પર કાળ બની ત્રાટકી હોય તેમ વાહન પર જતા લોકોને કચડી નાખ્યા છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સિટી બસે લોકોને કેવી રીતે કચડ્યા તેના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા રોષે ભરાયા હતા. ઘટના સમયે મૃતકોના પરિવારજનોએ મૃતદેહો સ્વીકારવાનો ઇન્કાર પણ કરી દીધો હતો. બાદમાં પોલીસની સમજાવટ બાદ મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે. ઘટનાસ્થળે જોત જોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેર્યું હતું.

રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં 3 લોકોના મોત નીપજ્યાંની ઘટના બની છે. જોકે ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

જુઓ આ અકસ્માતનો દર્દનાક વિડિયો…

https://www.instagram.com/reel/DIfxtbQSN9q/?igsh=bnY0NGU3ajJjMzNp

આ સમાચારને શેર કરો