Placeholder canvas

રાજકોટ માર્કેટિંગ યાર્ડ 23 માર્ચથી 1લી એપ્રિલ સુધી બંધ રહેશે…

રાજકોટ મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતાં કમીશન એજન્ટ,વેપારીઓને સને ૨૦૨૩.૨૦૨૪ ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું કામકાજ બંધ રાખવા કરેલ નિર્ણય અન્વયે તા.૨૩.૦૩.૨૦૨૪ ને શનિવાર થી ૦૧.૦૪,૨૦૨૪ સોમવાર સુધી મુખ્ય માર્કેટ યાર્ડનું (અનાજ) હરરાજીનું કામકાજ બંધ રહેશે.

તેમજ તા.૨૧.૦૩.૨૦૨૪ ને ગુરૂવાર સવારથી અનાજ વિભાગ (મુખ્ય યાર્ડ)ની તમામ જણસીઓની માલ આવકો/વાહનો માર્કેટ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહી.જેથી આ સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં ખેડૂત ભાઈઓએ માલ વેચવા લાવવો નહી,

જ્યારે તા.૦૨.૦૪.૨૦૨૪ ને મંગળવાર થી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે…

આ સમાચારને શેર કરો