Placeholder canvas

સોમવારે રાજકોટ રેલ્વે ડિવિઝનનાં 12 રેલ્વે સ્ટેશનોનાં પુન: વિકાસનો પીએમ મોદીના હસ્તે ઈ-શિલાન્યાસ…

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી 2024 (સોમવાર)ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 551 સ્ટેશનોના પુન: વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ/અંડરપાસનું શિલાન્યાસ/ ઉદ્ઘાટન કરવા માટે રૂ.10,000 કરોડનો પ્રોજેકટ દેશને સમર્પિત કરશે.જેમાં રાજકોટ રેલવે ડિવિઝનના 12 સ્ટેશનોના પુન:વિકાસનો શિલાન્યાસ 11 રોડ ઓવરબ્રિજ/અંડર પાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું ઉદ્ધાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે જેમાં રાજકોટ,જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોના પુન:વિકાસનો કુલ ખર્ચ આશરે 181.42 કરોડ રૂપિયા છે.આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંડેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામવંથલી, સિંધાવદર, વાણીરોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંથીમાં 11 રોડ ઓવરબ્રિજ/અંડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્વાટન કરવામાં આવશે. આ તમામ ઓવરબ્રિજ/ અંડર બ્રિજના નિર્માણનો કુલ ખર્ચ આશરે રૂ।75.25 કરોડ છે. રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારો કરવાના ઉદ્દશ્ય સાથે, ભારત સરકારે મોડયુલર કોન્સેપ્ટ પર વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે પુન:વિકાસ કરવામાં આવશે.

ધ-આર્ટ સુવિધાઓ સ્ટેશનમાં વર્લ્ડ કલાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઈટિંગ રૂમ, અનુકુળ પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એન્નૌંસમેંટ સિસ્ટમ, વાઈ-ફાઈ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પુરતી લાઈટિંગ વગેરે જેવી સુવિધાઓ હશે.ભારતીય રેલવે સ્ટેશનોનું અભૂતપૂર્વ પરિવર્તન દરેક ભારતીયને ગર્વ કરાવશે અને જે ઝડપે પરિવર્તન થયું છે. તેનાથી દરેક પ્રવાસીને આશ્ર્ચર્ય થશે. એક તરફ મુસાફરોને સ્ટેશનો પર અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળશે. તો બીજી તરફ રોડ ઓવરબ્રિજ/ અંંડરપાસના નિર્માણથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સગવડ મળશે.

આ સમાચારને શેર કરો