Placeholder canvas

વાંકાનેર: મારી લચ્છીની લારી આડે ગાડી કેમ રાખી? કહી યુવાનને ધોકાવી નાખ્યો…

વાંકાનેર : વાંકાનેરના પુલ દરવાજા ચોક નજીક મહેમાનને તેડવા માટે ગાડી લઈને ઉભેલા યુવાનને તે મારી લચ્છીની લારી આડે કાર કેમ રાખી કહી ચાર શખ્સોએ હુમલો કરી ગાડીના કાચ તોડી માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પુલ દરવાજા ચોક નજીક મહેમાનને તેડવા માટે ગાડી લઈને ઉભેલા જાવેદ ઇસ્માઇલભાઈ આંબલિયા ઉ.25 નામના યુવાનને આરોપી દિલીપ ભરવાડે કહ્યું હતું કે તે મારી લચ્છીની લારી આડે કાર કેમ રાખી છે જેથી ઇસ્માઇલે કહ્યું હતું કે મારી ગાડી તમારા ધંધા આડે નથી હું હમણાં મારા મહેમાનને લઈને જતો રહીશ કહેતા આરોપી દિલીપ ભરવાડ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કર્યો હતો જે બાદ દિલીપ ભરવાડનો જાણીતો ઇકો ચાલક અને અજાણ્યા બે શખ્સ આવ્યા હતા અને ઇસ્માઇલને માર મારી ગાડીના કાચ ફોડી નાખતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો