skip to content

અરણીટીંબામાં તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે ઇસ્માઇલભાઈ કડીવારનો લોકસંપર્ક

વાંકાનેર તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવાર નૂરજંહાબેન ઇસ્માઇલભાઇ કડીવારના ચૂંટણી પ્રચારમાં ઈસ્માઈલભાઈ કડીવાર એ અણીટીબા ગામ ખાતે ડોર ટુ ડોર લોક સંપર્ક કર્યો હતો અને તેમના પત્નીને મત આપવા મતદારોને અપીલ કરી હતી.

આ લોક સંપર્ક દરમિયાન અણીટીબા ના લોકોએ પોતાના ગામમાં પાણીની તકલીફ હોવાની વાત કરી હતી ત્યારે ઇસ્માઇલભાઈ કડીવારે જો તેવો ચૂંટાઈ જશે તો આ પાણીની સમસ્યાના નિવારણ માટે તમામ પ્રયત્નો કરશે એવી ખાતરી આપી હતી.

હવે ચૂંટણીના આખરી દિવસોમાં પ્રચાર કાર્ય વેગવંતુ બનાવવા માટે આવતીકાલે વાલાસણ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ભાજપના અગ્રણી, મયુર ડેરી ના ચેરમેન અને મોરબી એપીએમસીના ચેરમેન મગનભાઇ વડાવીયા આવી રહ્યા છે. તેઓ અહીં તીથવા જિલ્લા પંચાયતની સીટના તમામ આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપશે તેમજ મતદારોને ભાજપના ઉમેદવારને મત આપીને વિજય બનાવવા અપીલ કરશે.

આ સમાચારને શેર કરો