Placeholder canvas

વાંકાનેર:તીથવા ગામની દીકરી પ્રાર્થનાએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી…

વાંકાનેર : તીથવા ગામની ધ બ્રિલિયન્ટ વિદ્યાલયની વિદ્યાર્થીની પ્રાર્થના ગીરીશભાઈ વાઘેલાએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. તેને આ સિદ્ધિ હાંસલ કરી શાળા તથા વાઘેલા પરિવારનું ગૌરવ વધારતા ઠેર ઠેરથી ગીરીશભાઈને મો. 9978518016 પર અભિનંદન સાથે શુભેચ્છાઓ મળી રહી છે.

અત્રે ઉલેખનિય છે કે પ્રાર્થનાના પપ્પા ગીરીશભાઈ પોતે ઢુંવા પાટે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમને 2 દીકરી છે. તેમાંથી પ્રાર્થના મોટી છે. પ્રાર્થના જવાહર નવોદયમાં પાસ થતા તેમને કેન્દ્ર સરકાર સંચાલિત સંપૂર્ણ સુવિધા વાળી સ્કૂલમાં શિક્ષણ મળશે અને તેમની સારી કારકિર્દી ઘડી શકશે.

આ સમાચારને શેર કરો