Placeholder canvas

પીપળીયા રાજ મર્ડર પ્રકરણ: પત્નિએ જ પતિને પતાવી દીધો હતો.

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં તા.5/7/2023ની રાત્રે એક યુવકનું મર્ડર થયું હતું. આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ની સીમમાં કડીવાર અબ્દુલરહીમ અલાઉદીનભાઈની ભામણિયા નામની વાડીએ રહીને ભાગમાં ખેતી કરતા પરપ્રાંતીય મજૂરનું મર્ડર થયું છે. આ મૃતક 21 વર્ષીય યુવાનનું નામ રવીત ડુંગરસિંહ બામનીય છે. તે હજુ પાંચ દિવસ પહેલા જ અહીંયા મજૂરી કામ માટે આવેલ એ પૂર્વે તેમના ભાઈ ભાભી અને બહેન અહીંયા આવ્યા હતા. મંગળવારની રાત્રે રવીત અને તેમની પત્ની વાડીએ આવેલી ઓરડીમાં સુતા હતા. જ્યારે તેમના ભાઈ ભાભી અને બહેન બહાર સૂતા હતા. રોહિતના લગ્ન તાજેરમાં જ થયા હતા.

આ બનાવમાં રાત્રે અઢી ત્રણ વાગ્યે વાડીના માલિક અબ્દુલ રહીમભાઈ કરીવાર ના પુત્ર મકબુલ પર ફોન આવ્યો હતો અને તેઓએ એવું જણાવ્યું હતું કે વાડીએ કોઈ આવીને રવીતને મારી કરી ગયા છે. આ સમાચાર મળતા જ મકબુલ અને તેમના ભાઈ રાત્રે વાડીએ દોડી ગયા હતા અને 108 ને ફોન કર્યો હતો.પરંતુ 108 આવતા અને તપાસતા રવીત મૃત પામ્યો હોવાથી તે પાછી જતી રહી હતી. ત્યારબાદ મકબૂલ અને તેમની સાથે આવેલા લોકોએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવીને ડેડ બોડીને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી..

આ મર્ડર પ્રકરણમાં રવીતની પત્નીનું કહેવું છે કે બહારથી કોઈ બે શખ્સ આવીને હુમલો કરીને ખુન કરી ગયા, રવીતના માથાના પાછળના ભાગમાં મારેલ હતું તેમજ અન્ય તીક્ષ્ણ હથિયારથી હુમલો ક્રિન્ડ મોતને ઘાટ ઉતારીયો હોય એવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગે છે. ત્યારે સવાલ એ થાય છે કે અહીં બહારના લોકો આવ્યા તો બાર સુતેલા તેમના ભાઈ ભાભી અને બહેનને ખબર ન પડી !! આ મૃતકના પત્નીની સ્ટોરી પોલીસને ગળે ઉતરતી નોહતી. નથી પોલીસે આગવીશ કરતા મૃતકની પત્ની કરમભાઈ આઘી પડી હતી અને તેમના પતિનું તેમને પોતે જ ખૂન કર્યું હોવાની કબુલાત આપી હતી.

તેમને કબુલાતમાં આ બનાવની સંપુર્ણ અને સત્ય હકિકત જણાવેલ કે,પોતે તથા મરણ જનાર રવિત ને લગ્નનો એકજ મહીનો થયેલ હોય અને તેનો પતિ તેના સગાવહાલા સાથે ફોન માં વાત-ચીત કરવાની ના પાડતો હોય અને નાની નાની બાબતે તેણી સાથે ઝઘડો-તકરાર કરતો હોય અને પોતાના પિતા પાસે જવાનુ કહેતા પતિ એ જવાની ના પાડેલ અને કોઇ દિવસ જવા નહી દવ તેમ કહેતો હોય અને દામ્પત્ય જીવનમાં પણ સુખ ન હોય જેથી પોતાના પતિ સાથે અણગમો થઇ જતા ગઇ તા.૫/૭/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે પોતાના પતિ ખાટલામાં સુતો હોય તે વખતે આવેશમાં આવી જઇ ઓરડીમાં પડેલ લોંખડની કોશ વડે માથાના પાછળના ભાગે પ્રહાર કરી તથા કુહાડી વડે માથામાં ઇજા પંહોચાડી મોત નિપજાવેલ હોય અને સત્ય હકિકત છુપાવવા ફરિયાદી તથા સાહેદોને કોઇ અજાણ્યા માણસો મોત નિપજાવેલની ખોટી માહિતી જણાવેલ હોય અને મરનાર તેમના પતિનો ફોન પોતાની પાસે રાખી નજીક દાટી દીધેલ હોય હોવાની કબુલાત આપેલ હતી.

આ તપાસ દરમ્યાન ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર તથા મોબાઇલ તથા સીમ કાર્ડ રીકવર કરી કબજે કરવામાં આવેલ છે.તેમજ આરોપી કરમબાઇ એ પોતે જ તેના પત્નીનુ મોત નિપજાવી ગુનાને અંજામ આપેલ હોવાની કબુલતા આપેલ છે.આરોપી કરમબાઇ રવીતભાઇ બામનીયા જાતે આદીવાસી ઉવ.૨૦ રહે.મુળ ગામ ઉન્ડારી તા.જોબટ જી.અલીરાજપુર રાજય મધ્યપ્રદેશ વાળીને આજરોજ તા.૬/૭/૨૦૨૩ ના કલાક ૯/૦૦ વાગ્યે અટક કરેલ છે. આમ મર્ડર કેસનો ભેદ ઉકેલવા વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળેલ છે.

કપ્તાનના સમાચાર વાંચવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાવો

કપ્તાન વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Fv4Uzk8H2Ig5rq8DWhAXvq

આ સમાચારને શેર કરો