આ પ્રગતિશીલ ખેડૂત સંમેલનમાં ખેડૂતોએ ખેતી વિશેની માહિતી મેળવવા માટે ખાસ પધારવા પરફેક્ટ એગ્રી મોલ તરફથી ભાવભીનું આમંત્રણ…
વાંકાનેર: કૃષિ ક્ષેત્રમાં બાગાયત અને શાકભાજીના પાકોમાં બહોળા અનુભવના આધારે આપણાં વિસ્તારમાં કૃષિ વ્યવસાયને વધુ સમૃધ્ધ બનાવવાના હેતુથી સતત બાર વર્ષથી ખેડૂતોની સાથે કદમ મીલાવી ખેતીને સમૃધ્ધ બનાવવાનો પ્રયાસ કરી રહેલ “પરફેકટ એગ્રી મોલ” આગામી શનિવારે એક વિશાળ જગ્યામાં સ્થળાંતર કરી રહ્યા છે.
આ શુભ પ્રસંગે માનવંતા ખેડૂત ભાઈઓ માટે ખાસ એક ‘પ્રગતિશીલ ખેડૂત સંમેલન’નું આયોજન કરેલ છે. આ સંમેલનમાં આપણા જાણીતા કૃષિ નિષ્ણાંત અને વેધર એનાલીસ્ટ એવા શ્રી પરેશ ગોસ્વામી સાહેબ તથા અન્ય કૃષિ નિષ્ણાંતો પણ ખેતીને લગતી વિસ્તૃત ચર્ચા કરી ખેડૂતોને માહીતગાર કરશે. આ સંમેલનમાં આપવામાં આવનાર માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
તો આપ સૌ ખેડૂતમિત્રોને ‘પ્રગતિશીલ ખેડૂત સંમેલન’નો લાભ લેવા અને અમારા આમંત્રણને માન આપી આપ સૌ મિત્ર મંડળ સાથે… અમારા હોસલા અને આપના જ્ઞાનને બુલંદ કરવા માટે પધારવા માટે ‘પરફેક્ટ એગ્રી મોલ’ના પાર્ટનરો તરફથી ભાવભીનું આમંત્રણ છે.
નોંધ:- જે ખેડૂતો ભાઈઓ સેમિનારમા આવવા ઇચ્છુકોએ પોતાનું નામ, સરનામું, અને મોબાઈલ નંબર નીચે આપેલ નંબર ઉપર શુક્રવાર બપોરે 12 વાગ્યા સુધીમાં લખાવી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. 8141172020 / 9998199912