વાંકાનેર પાટીદાર સેવા સમાજનું 24મીએ જમણવાર અને 28મીએ રાસોત્સવ અને સન્માન સમારંભ
વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્રારા આગામી તા.24ને મંગળવારે સાંજે ૬:૩૦ કલાકે દશેરા નિમિતે સમહુ જ્ઞાતી ભોજન કાર્યક્રમ પાટીદાર સેવા સમાજની વાડી વાંકાનેર ખાતે રાખેલ છે.
આ ઉપરાંત આગામી તારીખ ૨૮/૧૦/૨૦૨૩ (શનિવાર) રાત્રે ૯:૦૦ કલાકે શરદ પૂર્ણિમા રાસોત્સવ તથા સરસ્વતી વિધ્યા સન્માનનો કાર્યક્રમ પાટીદાર સેવા સમાજ ખાતે રાખેલ છે તો આ બન્ને કાર્યક્રમમા સર્વે જ્ઞાતીજનોને પધારવા પાટીદાર સેવા સમાજ પ્રમુખશ્રી પ્રજ્ઞેશભાઈ બી પટેલ તથા પાટીદાર સેવા સમાજ ની સમગ્ર કારોબારી સભ્યો તરફથી આમંત્રણ આપવામાં આવે છે. તેમ પાટીદાર સમાજે એક અખબાર યાદીમાં જણાવેલ છે.
વાંકાનેર અને મોરબી જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના સમાચાર વાંચવા માટે કપ્તાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.
કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…