મોરબી: વ્યાજખોરોનો ત્રાસ યુવકને ઢોરમાર માર્યો.
મોરબી શહેરમાં બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરવા યુવકને ઢોરમાર માર્યો હતો. આ મામલે ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રવાપર રોડ પર રહેતા ફરિયાદી નીતીનભાઇ ભગવાનજીભાઇ ડાભીએ આરોપી વિમલ નટુભાઇ પરમાર અને ભોલુ જારીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, તેમણે આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધા હતા અને તે પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપી દીધી હતી. છતા આરોપીઓએ નીતીનભાઇ પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી હતી અને એક વર્ષથી તેમને સતાવતા હતા. ગત તારીખ ૨૧/૧૧ના રોજ શનાળા રોડ પર આવેલ મોમ્સ હોટલની પાછળ બુટાની વાડીમાં બંને આરોપીઓએ નીતીનભાઇને ઢીકાપાટુનો મારા માર્યો હતો હતો તેમજ પટ્ટા વડે ઢોરમાર મારી નીતીનભાઇને ગાળો ભાંડી નીતીનભાઇના ગળાના ભાગે છરી રાખી તેમની હત્યા કરવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હતી.આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.