Placeholder canvas

એક ડઝન પેસેન્જર ભરેલી છકડોરિક્ષા પુલ પરથી નીચે ખાબકી: 3નાં મોત, 8ને ઈજા.

એક ડઝન પેસેન્જર ભરેલી છકડો રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે અને અન્ય 8 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તને હાલ જામનગર અને ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલીક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ઘરી હતી.

જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતાં સમયે રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ત્યારે અન્યને જામનગર તથા ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો