Placeholder canvas

વાંકાનેર: પાંચ મહિના પહેલા લગ્ન થયા હતા, ને ગઈકાલે પરિણીતાએ ફિનાઈલ પીધું !

વાંકાનેર: નવાપરા વીસ્તારમાં પાંચ મહિના પૂર્વે લગ્ન થયા હતા એ પરિણીતાએ ફિનાઈલ પી લઘુ હતું. આ મુદ્દે પરિણીતાના સસરાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ નવાપરા વિસ્તારમાં રહેતી હંસાબેન સંદીપભાઇ દેત્રોજા નામની પરિણીતાએ તા.૧૪/૦૭/૨૦૨૨ ના કલાક-૧૨/૪૫ વાગ્યે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી આ બનાવની જાણ તેના સસરા નટુભાઇને થતા તેમણે પરિણીતાને પીર મશાયખ સાર્વજનીક હોસ્પીટલ વાંકાનેર ખાતે દાખલ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.

કયા કારણોસર પરિણીતાએ જિંદગી ટૂંકાવવાની ફરજ પડી ? તેનું ચોક્કસ કારણ જાણવા આ ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો