Placeholder canvas

વાંકાનેર: સરતાનપર રોડ પરના સીરામીક કારખાનામાં પરિણીતાએ ગળેફાંસો ખાધો.

વાંકાનેર : વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપર સીરામીક કારખાનામાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવેલ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સંસ્કાર ઝોન્સ સીરામીક કારખાનાના શ્રમિક ક્વાર્ટરમાં રહેતી અને ત્યાં જ મજૂરી કામ કરતી સુનીતાબેન રોહીદાસ નારવે (ઉવ.૧૯) નામની પરિણીતાએ ગઈકાલે કોઈ કારણોસર પોતાના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું. પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ સમાચારને શેર કરો