Placeholder canvas

રાજકોટ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી ટંકારામાં…

ટંકારા ખાતે રાજકોટ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી એ પ્રવાસ કરી કાર્યકર્તા પરીચય કાર્યક્રમ યોજાયો હતો ઋષિ દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારા ગુરૂકુલ ખાતે પણ મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજ ના સ્થાપક ને પ્રણામ કરી માહિતી મેળવી હતી.

આજ રોજ રામ નવમી ના ઢળતી સાંજે રાજકોટ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ટંકારા ખાતે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં કોગ્રેસ તથા આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા કાર્યકરો અને વિચારો હાજર રહ્યા હતા

જેમાના ખુબ જાણીતા ડો ડાહ્યાભાઈ પટેલ કિશોરભાઈ ચિખલિયા સંજયભાઈ ભુપતભાઈ ગોધાણી ભટાસણા પંકજભાઈ રાણસરીયા જશવંતભાઈ કગથરા ગીરીશભાઈ પેથાપરા વિજયભાઈ કોટડીયા પુષ્પરાજસિહ નરેન્દ્રસિંહ ઝાલા રમેશભાઈ આહિર અયુબભાઈ અલ્પેશભાઈ કોઠિયા ભાવનીકભાઈ મુછડીયા કુલદીપસિંહ જાહેજા દિલીપભાઈ સરડવા મનસુખભાઈ વાધેલા આ તકે હાજરી આપનાર કોંગ્રેસના આગેવાન કાર્યકરો અને આપના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો, દરેક ફ્રન્ટ સેલના પ્રમુખો સમિતિ સભ્યો , મતદારો તથા પ્રેસ મીડિયા સર્વે નો ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્ર ગોસરા તથા મહામંત્રી દુષ્યંત ભૂતે સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો