Placeholder canvas

ટોલનાકે પાણીની બોટલ વેચતા પપ્પુ કોળી ઉપર પાઇપથી હુમલો.

ધંધાના ખારમાં દેવીપૂજક શખ્સે હુમલો કર્યાનો આક્ષેપ, ઇજાગ્રસ્ત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ : જેતપુર પાસે પીઠડીયા ટોલ નાકા પાસે રહેતા અને ત્યાં જ પાણીની બોટલો વેચતા પપ્પુ ઘાવરી કોળી (આદિવાસી ભીલ) (ઉ.વ.40) ઉપર ધંધાનો ખાર રાખી દેવીપૂજક શખ્સે પાઇપથી હુમલો કરતા ઇજાગ્રસ્ત પપ્પુને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જેતપુર પાસે હાઇવે ઉપર આવેલા પીઠડીયા ટોલનાકે બપોરે પપ્પુ કોળી પાણીની બોટલો વેચી રહ્યો હતો ત્યારે ત્યાં જ પાણીની બોટલ વેચતા દેવીપૂજક શખ્સ સાથે ધંધાના ખારમાં માથાકુટ થઇ હતી.

જે દરમ્યાન દેવીપૂજક શખ્સે પાઇપ વડે પપ્પુના માથામાં ઘા કરતા ઇજાગ્રસ્ત પપ્પુને જુનાગઢ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. પપ્પુને સંતાનમાં 7 દિકરી અને 1 દિકરો છે. તે મુળ મધ્યપ્રદેશનો વતની છે. છેલ્લા ર0 વર્ષથી પીઠડીયા ટોલનાકે રહે છે.

આ સમાચારને શેર કરો