Placeholder canvas

વાંકાનેર: વેપારીનો પંચાસર પાસે મચ્છુ નદીના પુલ પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત….

વાંકાનેર શહેર નજીક તાલુકાના પંચસર ગામ નજીક રાતીદેવરી ગામ તરફના હાઈવ બાયપાસના પર આવેલ મચ્છુ નદી પરના પૂલ પરથી આજે સવારે વાંકાનેરના વેપારી આધેડે કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના પંચાસર ગામ પાસે રાતીદેવળી ગામ તરફ જવાના રસ્તે હાઇવે બાયપાસ પર આવેલ મચ્છુ નદીના પુલ પરથી રાજેશભાઈ ધીરજલાલ મણીયાર (ઉ.વ. ૪૮, રહે. વૃંદાવન વાટીકા, જડેશ્વર રોડ, વાંકાનેર) નામના વેપારીએ કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસના મુકેશભાઈ ચલાવી રહ્યા છે.

(Photo by:- Arif Pathan)

આ સમાચારને શેર કરો