Placeholder canvas

વાંકાનેરની પંચાસીયા શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું

વાંકાનેર: પંચાસીયા ગામની પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વાંકિયા ૧ ના સીઆરસી અબ્દુલ શેરસીયા દ્વારા આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા શિક્ષણ અધિકારી મંગુભાઈ પટેલ, બીઆરસી મયુરસિંહ પરમાર ઉપસ્થિત રહયા હતા

પંચાસિયા પ્રાથમિક શાળા પરિવાર યજમાન શાળા બની હતી. અને શાળાના આચાર્ય યાકુબભાઈ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવામાં આવી હતી આ તબક્કે પૂર્વ..સી.આ.સી 1 ના વાંકીયા આબીદભાઈ કોવડીયાનો વિદાય સમારંભ અને અબ્દુલભાઇ શેરસીયા સી.આર.સી વાંકીયા 1 નો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે પંચાસિયા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય મહેબૂબભાઈનો વિદાય સમારંભ અને નવા આચાર્ય યાકુબભાઈનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો

યજમાન શાળા હોવાથી પંચાશીયા પ્રાથમિક શાળાના શિક્ષક દેવરાજભાઈ દ્વારા 6 કૃતિ રજૂ કરવામાં આવી હતી ત્યાબાદ વાંકીયા 1 સી.આર સીના તમામ શિક્ષક ભાઈ બહેનોએ સાથે સમૂહ ભોજન માણ્યું હતું.

આ સમાચારને શેર કરો