Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે કોરોનાના માત્ર ૦૩ કેસ નોંધાયા: એક્ટીવ કેસનો આંક ૬૪ થયો

મોરબી-1, ટંકારા-2, વાંકાનેર, માળીયા અને હળવાદમાં આજે એક પણ કેસ નહી

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં આજે મોરબી અને ટંકારા તાલુકામાં નવા ૦૩ કેસ નોંધાયા છે તો ત્રણ તાલુકામાં રાહત જોવા મળી છે આજે ૧૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજે મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ અને ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૨ નવા કેસ મળીને જીલ્લામાં નવા ૦૩ કેસો જ નોંધાયા છે જ્યારે વાંકાનેર, માળિયા અને હળવદ આ ત્રણ તાલુકામાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. આજે જીલ્લામાં ૧૬ દર્દીઓ સ્વસ્થ થતા મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૬૪ થયો છે

આ સમાચારને શેર કરો