Placeholder canvas

વાંકાનેર: તળાવમાં વધુ એકનું ડૂબી જવાથી મોત

વડસર તળાવમાં રાજકોટ સાત-હનુમાન કુવાડવા રોડ પર રહેતો યુવાનનું ડૂબી ગયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા વડસર તળાવ ખાતે બપોરના આશરે 3 વાગ્યાના સમયે વડસર તળાવમાં કોઈ યુવાન ડૂબી ગયાની ઘટના અંગે પોલીસને જાણ થઈ હતી.

પોલીસ મથકે જાણવા મળેલી વિગત મુજબ આ યુવાન રવિભાઈ ભુપાભાઇ બથવાર ઉંમર વર્ષ ૨૦ રાજકોટ સાત-હનુમાન કુવાડવા રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન ડૂબી જતાં મૃત્યુ પામેલ હોવાનું પોલીસ મથકેથી જાણવા મળેલ છે જે અંગે પ્રાથમિક કાગળો કરી વધુ તપાસ પોલીસ જમાદાર વશરામભાઈ આહિર ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો