Placeholder canvas

મોરબી દુર્ઘટના : રાજકોટમાં દાખલા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો, મૃત્યુઆંક 135

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજકોટના સોફ્ટવેર એન્જીનિયરે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ગોઝારી ઘટનાનો મૃત્યુઆંકડો 135 થયો.

રાજકાની અંબિકા ટાઉશીપમાં સિદ્ધિ હાઈટ્સમાં રહેઠાણ અને બેંગ્લોર ખાતે સોફ્ટ એન્જીનીયર તરીકે નોકરીઓ હર્ષભાઈ બટુકભાઈ ઝાલીયા ઉ.26 અને મીરાબેન ઉ.24 પરિવાર સાથે મોરબી માસિયાઈ ભાઈને ત્યાં ગયા હતા આગ્રહ કરતા ત્યાં રોકાયા હતા અને સાંજે ઝુલતો પુલ જોવા ગયા હતા. પુલ તુટતા મીરાબેનનું ઘટનાસ્થળ જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે હર્ષભાઈને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા હતા જેમનું આજે સારવારમાં દરમિયાન મૃત્યુ નીપજયુ છે.

5 માસ પૂર્વે જ લગ્ન જીવનની શરૂઆત કરનાર યુગલના મોતથી બંને પરિવારો ભાંગી પડ્યા છે હર્ષ ભાઈ બહેનમાં નાનો અને વૃધ્ધ માવતરનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો જયારે મીરાબેનને એક ભાઈ હોવાનું અને પરિવાર મેંગ્લોર સ્થાયી થયેલ છે.

આ સમાચારને શેર કરો