વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે હુશેનભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અમિતભાઇના દોઢ વર્ષના પુત્ર ચંદન અમીતભાઇ સોરને પગે સાપ કરડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.