skip to content

મોરબી સીરામીક એસોશીયનના કમીટી મેમ્બર ઉધોગપતિ નિલેશભાઈ રાણસરીયાનો આજે જન્મદિવસ

મોરબીમાં સેવીઓન સીરામીકના માલિક જે Qbo બ્રાંડથી મશહૂર છે.

By રમેશ ઠાકોર – હડમતીયા
ટંકારા તાલુકાના હડમતિયા ગામે તા. 2/7/1977 માં જન્મેલ નિલેશભાઈ રાણસરીયા એ પોતાની કારકીઁદીની શરુઆત 11/4/1984 થી પોતાના પિતાની કરીયાણાની દુકાનમાં પિતાને મદદ કરી ધંધાની સુજબુજને સમજવાનું ચાલુ કર્યુ અને સમય જતા ધંધો ધંધાને શીખવે તેમ હાલમાં મોરબીમાં પોતાનું સીરામીક યુનીટ તથા કચ્છમાં ચાઈના કલે માટીનું યુનીટ ધરાવે છે અને નવું નવું શીખવાની જીજ્ઞાસા હોય તેની પોતાના નામે ૨૦ પેટંટ ને પોતાના નામે કરવાની પ્રકીયા ચાલુ છે તેમાં એક વિશ્વ પેટંટનો પણ સમાવેશ થાય છે.

સદાય મદદની ભાવના રહેલી હોવાથી કોરોનાના કપરા સમયમાં કોવીડકેર હોય કે કોઈ પેસન્ટને બહારના રાજ્યમાં એરબસ દ્વારા મોકલવાનાં હોય સતત ખડેપગે રહી સેવા આપવા ત્તત્પર રહ્યા છે અને મોરબીમાં સીરામીક એસોશિયનથી કાર્યરત કરેલ ઓક્સિજન પ્લાંટમાં સેવા આપી પોતાનું યોગદાન આપેલ છે.

પોતાના વતન હડમતીયા ગામમાં પણ જ્યારે કોરોના કાળમાં જરુરીયાત હોય ત્યારે રાત દિવસ જોયા વગર સેવા આપવા તત્પર રહેલ જે માધ્યમિક શાળામાં પોતે અભ્યાસ કયોઁ તે જ શાળામાં ટ્રસ્ટી તરીકે પણ સ્થાન ધરાવે છે આજે તે પોતાના જીવનના ૪૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે હાલ તાજેતરમાં નિર્માણ પામી રહેલ માટેલ રોડના કામકાજમાં સતત માર્ગદ્રષ્ટા બનીને પોતાની સેવા આપી રહેલ છે. આજના જન્મદિવસ નિમિત્તે બહોળું મિત્ર સર્કલ, સગાંસંબંધીઓ, સિરામિક એસોસિયેશન મિત્રો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો