શિક્ષણ બોર્ડમાં સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાતા ડૉ. નિદત બારોટ
રાજકોટ : ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર મા.શિક્ષણનું નિયમન કરતું બોર્ડ એટલે ગુજરાત મા.શિક્ષક બોર્ડ. આ બોર્ડમાં જુદા-જુદા સંવર્ગમાંથી નવ સભ્યોની ચૂંટણી થાય છે. સંચાલક મંડળ, મા.શાળાના આચાર્યો, શિક્ષકો, બુનિયાદી શાળાના શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલી મંડળ ઉપરાંત બી.એડ. કોલેજોના આચાર્યો પૈકી પ્રતિનિધિઓ ચૂંટાય છે. મા.શિક્ષણ બોર્ડ, રાજ્યમાં નવી શાળા શરુ કરવાની, દસમા અને બારમાં ધોરણની પરીક્ષા લેવાની અને રાજ્ય સરકારને શિક્ષણ બાબતે સલાહ આપવાની કામગીરી કરે છે. સમગ્ર ગુજરાતમાંથી ફકત નવ લોકો ચૂંટાય છે.
આ પ્રતિષ્ઠાભરી જગ્યાએ સતત ચોથી વખત આઇએલટી બીએડ કોલેજ રાજકોટના આચાર્ય ડો. નિદત બારોટ બિન હરીફ ચૂંટાયા છે. ડો. નિદત બારોટ અગાઉ 25 વર્ષ સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ સભ્ય, 15 વર્ષ સિન્ડીકેટ સભ્ય, 12 વર્ષ એકેડેમિક કાઉન્સીલના સભ્ય અને નવ વર્ષ શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે ચૂંટાયા હતા. ઉત્તર ગુજરાત યુનિ.ના પૂર્વ ઉપકુલપતિ તરીકે ડો. નિદત બારોટે સેવાઓ આપેલી છે. ભારત સરકારે ડો. નિદત બારોટની નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશન ભોપાલમાં નિયુક્તિ કરી હતી.
શિક્ષણ ક્ષેેત્રે ખૂબ લાંબા સમયથી ચૂંટાતા ડો. નિદત બારોટ મા.શિક્ષણ બોર્ડમાં આ વખતે ચૂંટાતા તેઓ બોર્ડના સભ્ય તરીકે 12 વર્ષ પૂરા કરશે. ગુજરાતમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે કોઇ વ્યકિત સતત ત્રણ વખત બિનહરીફ ચૂંટાઇ હોય. ડો. નિદત બારોટ માધ્યમીક શિક્ષણ બોર્ડ સતત ત્રણ વખત બિનહરીફ ચૂંટાયા છે.

