Placeholder canvas

નવી રાતીદેવળી પ્રાથમિક શાળાના શિક્ષિકા નીતાબેન વય મર્યાદાથી સેવા નિવૃત્ત થતા ભાવભરી વિદાય અપાય…

વાંકાનેર: નવી રાતીદેવળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા નીતાબેન જે ઉપાધ્યાયનો વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા તેમને વિદાય આપવામાં માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ વિદાય સમારંભમાં વાંકાનેર તાલુકાના ટીપીઓ વોરા, બીઆરસી મયુરસિંહ , કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ, સી.આર.સી. અજીતભાઈ ,સંઘ પ્રમુખ સતાસિયા, રામકૃષ્ણ તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઈ મકવાણા,ગામના સરપંચ તથા અન્ય અગ્રણી ગ્રામજનો અને પેટા શાળાના આચાર્યો તથા શિક્ષકોએ હાજરી આપી હતી. આ વિદાય સમારંભમાં નીતાબેન ને સર્વોએ ખૂબ ભાવભરી વિદાય તથા શુભેચ્છાઓ આપેલ .સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો