Placeholder canvas

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘંઉ રૂ.1651માં વેચાય

રાજકોટ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક થઈ હતી જે ઘઉં 1651 રૂપિયામાં હરાજીમાં વેચાયા હતા.

આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત નવા ઘઉંની આવક થઈ હતી રણગઢ ગામના ખેડૂત રમેશભાઈ ઘુસાભાઇ 30 મણ નવા ઘંઉ લઈને આવ્યા હતા તેમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ તળાવીયા ટ્રેડિંગ કુ.માં ઘંઉ વેચવા મૂક્યા હતા, જે હરાજી થતા જય અંબે એન્ટરપ્રાઇઝ એ 1651 રૂપિયામાં પ્રતિમણની ઘઉં ની ખરીદી કરી હતી. આમ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌપ્રથમ નવા ઘંઉ આવ્યા હતા તેમનો સારો ભાવ મળતા ખેડૂતમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

આ સમાચારને શેર કરો