તીથવા PHC દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની રેલી કાઢી ઉજવણી કરવામાં આવી
વાંકાનેર: આજરોજ 16 મે એટલે કે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત પ્રા.આ.કે. તીથવાના મેડિકલ ઓફિસર ડો. આરઝૂબેન મારવણીયા, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા અને ઉવેસ સીપાઈ, રેનીસ કડીવારના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ અટકાયત માટે રેલીનું આયોજન કરી પ્રચાર પ્રસાર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. જેવી કે…
➡️ ડેન્ગ્યુ ના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે.ડેન્ગ્યુ ના મચ્છર દિવસે વધારે સક્રિય હોય છે.
➡️ ડેન્ગ્યુ રોગ થી બચવા માટે લાંબી બાયના કપડાં પહેરો.
➡️ ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો.
➡️ નકામા ટાયર ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો.
16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ થીમ
” ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીયે “