Placeholder canvas

ગુજરાત NSUI પ્રમુખ તરીકે રાજકોટના નરેન્દ્ર સોલંકીની વરણી : નવું માળખું રચાશે

રાજકોટ: કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રાજકોટના નરેન્દ્ર સોલંકીની નિમણૂક થઈ છે. છેલ્લા ઘણા સમયથી આ પદ ખાલી હતું. આ માટે 3 મહિના અગાઉ ઇન્ટરવ્યૂ થયા હતા. આખરે આ પદ પર સૌરાષ્ટ્રના વિદ્યાર્થી નેતાને તક મળી છે. હવે NSUI નું નવું માળખું રચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ એનએસયુઆઈનું ગુજરાતનું માળખું વિખેરવામાં આવ્યું હતું. હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસે પ્રમુખની નિમણૂક કરી છે. આ પહેલા માહિપાલસિંહ ગઢવી પ્રમુખ હતા. તેમનો કાર્યકાળ પૂરો થયો હોવા છતાં 1 વર્ષ જેટલો વધારાનો સમય આપવામાં આવ્યો હતો.

નવ નિયુક્ત એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી મૂળ કોડીનારના છે, રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. એક ચર્ચા મુજબ હાલમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ગુજરાતના પ્રભારી રઘુ શર્મા રાજકોટ આવ્યા હતા ત્યારે નરેન્દ્ર સોલંકી સાહિતના વિદ્યાર્થી નેતાઓને મળ્યા હતા. રઘુ શર્માએ નરેન્દ્ર સોલંકી સાથે વાતચીત કરી યુવા સંગઠનની એક્ટિવિટી વિશે પણ ચર્ચા કરી હતી.

આ સમાચારને શેર કરો