હવે એન.કે.મૂછાર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર…
મોરબી : ઝુલતા પુલ દુર્ઘટનામાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સરકારે જવાબદાર ગણીને સસ્પેન્ડ કરી દીધા છે. અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસરનો ચાર્જ હાલ તુરત મોરબી જિલ્લા અધિક કલેકટર એન.કે. મૂછારને સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકા સામે લોકોમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે અગમચેતીના ભાગ રૂપે પોલીસ દ્વારા નગર પાલિકામાં એસારપી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.