Placeholder canvas

વાલ્મિકીનગરમાં સરાજાહેર છરીના પાંચ ઘા મારી યુવાનનું ઢીમ ઢાળી દેધુ.

દિવાળીના દિવસે ભુજમાં સરાજાહેર હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગઈ હતી.વાલ્મિકી નગરમાં છરીના ઘા મારીને જાહેરમાં યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.જેના કારણે પોલીસ સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો.ભૂંડ પકડવા બાબતે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળેલઈ વિગતો મુજબ,બનાવ દિવાળીના દિવસે સાંજે બન્યો હતો.ફરિયાદી લોટસ કોલોનીમાં વાલ્મિકી નગરમાં રહેતા નંદનીબેન શેખર રાજપૂતે જણાવ્યું કે, તેનો નાનો ભાઈ 23 વર્ષીય શક્તિ રાજપુત હોસ્પિટલમાં સફાઈ કામ કરે છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યે ફરિયાદી ઘરે હતા ત્યારે એક બાળકી ઘરે આવી અને કહ્યું કે, દરગાહની સામે તમારા ભાઈને ફળિયાના લોકો માર મારે છે.

જેથી ફરિયાદી તેમજ તેમના ભાભી મીનાબેન અને રહીશો દોડી આવ્યા અને વચ્ચે પડી છોડાવ્યા હતા. આ દરમિયાન ભાઈ શક્તિ નીચે પડી ગયો હતો અને લોહી લુહાણ હોવાથી તાત્કાલિક સારવાર માટે છકડો રીક્ષામાં બેસાડીને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

શક્તિને જમણા હાથના ખંભામાં, હાથની બગલમાં, ડાબી છાતીની બાજુમાં, થાપામાં પાંચ જેટલા છરીના ઘા વાગ્યા હોઇ ગંભીર ઇજાઓના કારણે સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ મોત આંબી ગયું હતું.જેથી બી ડિવિઝન પોલીસમા હત્યાની ફરિયાદ દાખલ થતા આરોપીઓને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો