Placeholder canvas

મોરબી: શનાળા રોડ પર ઘરમાં ધુસી વૃદ્ધની હત્યા કરનાર ઝડપાયો

મોરબી: શનાળા રોડ આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધ ઘરે એકલા હોય જેનો લાભ લઈને ચોરી કરવા ઇરાદે ઘરમાં ઘુસીને પાડોસી યુવાને વૃદ્ધને બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારથી માર મારીને હત્યાને અંજામ આપનાર ઇસમની મોરબી એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે

અમદાવાદના પાલડી વિસ્તારમાં આમ્રપલી એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહે મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા જ રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા (ઉમર ૩૪) તેના પિતા દિનેશભાઈ મહેતા ઘરમાં એકલા હતા દરમિયાન ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘો કણઝારીયા ઘરમાં ઘુસ્યો હતો પરંતુ ઘરમાં કોઈ દરદાગીના રાખેલા ન હોવાથી આરોપીએ વૃદ્ધને બોથડ પદાર્થ અને તિક્ષ્ણહથિયારથી ઘા મારવામાં આવતા દિનેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પીઆઇ જે.એમ.આલે ચલાવી હતી અને હત્યાને અંજામ આપનાર કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયાને ઝડપી પાડીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા હતા

આ સમાચારને શેર કરો