Placeholder canvas

મોરબી જિલ્લા આપ દ્રારા કાલે તિરંગા યાત્રા યોજાશે.

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આગામી તા.13/3/2022ને રવિવારે બપોરે 3:30 કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તિરંગા યાત્રામાં દિલ્હીના ધારાસભ્ય નરેશભાઈ યાદવ, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તેમજ જિલ્લા ટીમના તમામ પદાધિકારીઓની આગેવાનીમાં તિરંગાયાત્રા યોજાશે.

તિરંગા યાત્રા બપોરે 3:30 કલાકે મોરબી જિલ્લા કાર્યાલય, અવની ચોકડી ખાતેથી નીકળી ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝથી થઈ વીસી ફાટક ખાતે પૂર્ણ થશે.

આ સમાચારને શેર કરો