Placeholder canvas

મોરબી: રવાપર રોડ પર સરાજાહેર લૂંટ ચલાવનાર બન્ને આરોપીઓ ગિરફ્તાર

દિલ્હી પોલીસ પાસેથી મોરબી પોલીસે બન્ને આરોપીઓનો કબ્જો મેળવીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર થોડા દિવસો પહેલા બે શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી સરાજાહેર લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ત્યારે મોરબી પોલીસે જુદી જુદી 7 ટીમોને કામે લગાડી તપાસ ચલાવતા આ બન્ને આરોપીઓ હરિદ્રાર અસ્થિ વિસર્જન માટે ગયા હોવાનું ખુલતા મોરબી પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ત્યાંથી આરોપીઓનું દિલ્હી નજીક પગેરું મળતા દિલ્હી પોલીસની મદદથી લૂંટ કરનાર બન્ને આરોપીઓ જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસિંગ રાજપૂતને ઝડપી લેવાયા હતા. આથી મોરબી પોલીસે ગઈકાલે આ બન્ને આરોપીઓનો દિલ્હી પોલીસ પાસેથી કબ્જો મેળવી વિધિવત ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે થોડા દિવસો પહેલા ભરબપોરે નંબરપ્લેટ વગરના મોટર સાયકલ ઉપર બે શખસો ઘસી આવેલા અને રોકડ લઈને જઈ રહેલા વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા નામના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી બંદૂકના નાલચે લૂંટ ચલાવી હતી. આ દરમિયાન વસંતભાઈએ પ્રતિકાર કરતા તેમને ઇજા પહોંચી હતી.

આ સમાચારને શેર કરો