મોરબી માર્કેટિંગ યાર્ડ નો અનાજ વિભાગ ત્રીજી મે સુધી બંધ
મોરબી માર્કેટિંગ યાર્ડનો અનાજ વિભાગ આગામી તારીખ ત્રીજી મેં સુધી વરસાદના કારણે બંધ રહેશે…
મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે… વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને માર્કેટયાડૅ, મોરબીમાં તા. ૩/૫/૨૦૨૩ સુધી અનાજ વિભાગમાં હરરાજીનુ કામકાજ બંધ રાખેલ છે. જેથી જયાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોએ માલ લઇને આવવુ નહી. જેની લાગતાં–વળગતાં સર્વે ભાઇઓએ નોંધ લેવી.