Placeholder canvas

લઠ્ઠાકાંડ વિરોધમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતું મોરબી ‘આપ’

મીરબી: દારૂબંધ ગુજરાતમાં ભાવનગર અને બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ અંગેની નૈતિક જવાબદારીના ભાગ રૂપે ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા આપ પ્રમુખ વસંતભાઈ ગોરીયાની અગવાની હેઠળ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા રાજ્યપાલશ્રીને મોરબી જિલ્લા કલેક્ટર થ્રુ આવેદનપત્ર આપવા આવ્યું હતું.

આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા સેવાસદન ખાતે ધરણા કરી, ભાજપ હાય હાય, પોટલી નહીં શિક્ષણ આપો, પોટલી નહીં વિજળી આપો, પોટલી નહીં હોસ્પિટલ આપો, પોટલી નહીં સારી સુવિધાઓ આપોને નારા લગાવ્યા અને ત્યાર બાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સમયે આમ આદમી પાર્ટી મોરબીના હોદેદારો અને કાર્યક્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

આ સમાચારને શેર કરો