Placeholder canvas

મોરબી : આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કૈલાસદાન ગઢવી દ્વારા ભાજપના નેતાઓ અને તેમના માળતીયાઓને અપાતી છૂટોને રેવડી સાથે સરખાવી

મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો આ સમયે આશરે ૮૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહેલ જેમાં ૪૦૦ થી વધુ લોકોએ ભાજપ કોંગ્રેસની ગંદી રાજનીતિનો સફાયો કરવા ઝાડુ ઉપાડવા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆમાં યુવા નેતા પંકજ રાણસરિયા દ્વારા સ્વાગત પ્રવચન સાથે ભાજપ અને કૉંગ્રેસની હલકી પ્રજાનીતિ વિશે માહિતી આપી, સ્ટેટ ટ્રેડના ઉપપ્રમુખ ગિરીશ પેથાપરા દ્વારા લોકોને જનજાગૃતિ કરવા પહેલ કરેલ, ત્યાર બાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભરષ્ટાચાર માં ગાળા ડૂબ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી.
અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવ્યું, આ જનસંવાદમાં જિલ્લાના તમામ હોદેદારો અને તમામ સેલના હોદેદારો સાથે વિધાનસભા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો