Placeholder canvas

કોંગ્રેસને મોટો ઝટકો / છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને કર્યા રામરામ.!! ભાજપમાં જોડાશે…

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે તેવી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ બે દક્ષિણ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. છોટાઉદેપુરના MLA અને મોટા આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોહનસિંહ રાઠવા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.  મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપમાંથી પાવી-જેતપુર વિધાનસભાની ટિકિટ આપવામાં આવશે એવી પણ ચર્ચાઓ વહેતી થઇ છે. 

ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા 182 ધારાસભ્યોમાં સૌથી સિનિયર મોહનસિંહ રાઠવા છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. 2017ની ચૂંટણીમાં  દશમી વખત ચૂંટાયેલ મોહનસિંહ રાઠવા વિધાનસભામાં સૌથી સિનિયર ધારાસભ્ય છે.  તેઓ કેબિનેટ પ્રધાન અને વિરોધપક્ષના નેતા રહી ચુક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે.

2017ની વિધાનસભા  ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતની સરસાઈ હરાવ્યાં હતા. ભાજપના જશુભાઈ રાઠવાને  74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.

આ સમાચારને શેર કરો